માણસ એક સામાજીક પ્રાણી છે
એરીસ્ટોટ્લે કહ્યુ છે કે “માણસ એક સામાજીક પ્રાણી છે”.
પરન્તુ ઘણી વાર જીવન મા એવા માણસો મળી જાય છે કે ઉપર ના વાક્ય ને બદલવુ યોગ્ય લાગે. “માણસ એક સામાજીક પ્રાણી છે”.
ગઈકાલે હુ સુરત થી થોડે દૂર બારડૉલી અભિયાન્ત્રિક કોલેજ ની ઓફીશીયલ મુલાકાતે ગયો હતો, ત્યા આવુજ એક પ્રાણી ભટ્કાઈ ગયુ. એ મહાનુભવી પોતાની ૫% જાણકારી ને ૫૦૦% બતાવીને અનુભવી અધ્યાપકો સામે પોતાની અક્કલ નુ અવર્ણિય પ્રદશન કરી રહ્યો હતો અને સાથે સાથે લોકો ને નીચા બતાવ વાનો પ્રયત્ન પણ કરી રહ્યો હતો.
હોય ભાઈ, પરન્તુ બીજા ના અભિપ્રાય ની પણ કદર કરવી જરૂરી છે. પૄથ્વિ ચોરસ છે એમ પિપૂડી વગાડવાથી પૄથ્વિ ગોળ મટી ચોરસ નથી બની જતી.
આવા બુદ્ધીજીવી ઓને “કૂવામા ના દેડ્કા” નુ બિરૂદ આપી શકાય…


